નવી દિલ્હી: ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહેલા ભારત માટે કોરોના વાયરસ અભિષાપ બનીને આવ્યો છે. 21 દિવસના લોકડાઉનના કારણે દેશમાં કારોબાર લગભગ ઠપ્પ છે. કંપનીઓએ મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. સામાન્ય જનતા પરેશાન છે. આવામાં મોદી સરકાર આમ જનતાને કોરોનાના મારથી બચાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં સરકારે મફત રાશનથી લઈને હોમ લોન, કાર લોન અને ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ ભરવામાં છૂટ જેવી અનેક જાહેરાતો કરી છે. હવે આમ જનતાથી લઈને વીજકંપનીઓને પણ સરકાર એક ભેટ આપવા જઈ રહી છે. ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ વીજ ક્ષેત્ર માટે સરકારે રાહત પેકેજ બહાર પાડ્યું છે. સરકારે માન્યું કે વીજળીના ગ્રાહકો આગામી ત્રણ મહિના સુધી વીજ બિલ ભરવામાં સક્ષમ લાગતા નથી. આથી વીજ કંપનીઓ પાસે કેશની કમી રહેશે જેથી કરીને ઊર્જા મંત્રાલયે રાહતની જાહેરાત કરી છે. 


જે મુજબ વીજ વિતરણ કંપની વીજ નિર્માણ કરનારી કંપનીઓને બાકી રકમ પાછળથી પણ ચૂકવી શકે છે. તેમને વીજળી મળતી રહેશે. તેમને તત્કાળ પૈસા ચૂકવવા માટે ફોર્સ કરાશે નહીં. વીજળી વિતરણ કંપનીઓને એડવાન્સમાં પણ હવે ફક્ત 50 ટકા રકમ આપવી પડશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube